सखीरी लोभी मेरे नैन

 
सखीरी   लोभी   मेरे   नैन । 
बिन  देखे  चटपटी   सी   लागत,   देखत   उपजत   चैन ॥ १ ॥ 
मोर   मुकुट    काछे    पीतांबर,    सुन्दर    मुखके    बैन । 
अंग-अंग छबि कहि न परत है, निरखि थकित भयो मैन ॥ २ ॥ 
मुरली सुन ऐसी   लागत  है,    चितवे   खग   मृग   धैन । 
परमानंददासको    ठाकुर,     वे    देखो    ठाडे    जु   एन ॥ ३ ॥

चैत्रमास संवत्सर परिवा, नयो परव मान्यो हे आज

चैत्रमास संवत्सर परिवा, नयो परव मान्यो हे आज ।
नूतन लाड, लड़ावत सब विधि,  श्रीवल्लभ श्रीविठ्ठल महाराज ॥ १ ॥

नये बसन मनिगन आभूषण,  धरत असन नये रूचि उपजाय ।
अचमन  करि,  मुख पोंछि बसनतें, बीरी देत सुगंध मिलाय ॥ २ ॥

विविध फूलमंडली मनोहर, आँगन मोतिन चोक पुराय ।
आरती करत जु, मात यशोदा,  न्योछावर करि अति सचुपाय ॥ ३ ॥

नवदल निम्ब मधुर मिश्री ले, देत सबनकों मन हरखाय ।
ब्रह्मदासकों, माला बीडा देत, प्रभु अति निकट बुलाय ॥ ४ ॥

सुंदर मुख पर वारो टोंना

सुंदर मुख पर वारो टोंना । 
बेनी बारन की मृदु वेना  ॥ १ ॥ 
खंजननयनन अंजन सोहे, भ्रोंहन लोयन लोना । 
तिरछी चितवन यों छबि लागे, कंजपलन अलिछोना ॥ २ ॥ 
जो छबि है वृषभानसुतामें, सो छबि नाहिन सोना । 
नंददास अविचल यह जोरी, राधास्याम सलोना ॥ ३ ॥

ठाडे कुंज द्वार, पीय प्यारी,

ठाडे कुंज द्वार,  पीय प्यारी, करत परस्पर,  ह्सहस बतियां ।

रंगीली तीज गनगोर, भोर सज आंई, घरघर तें, सब सखियां ॥ १ ॥

करत आरती अति रसमाती, गावत गीत, निरख मुख अखियां ।

कृष्णदास प्रभु चतुर  नागरी,   कहा बरनों नांहीं,  मेरी गतियां ॥ २ ॥

શૃંગારનું પદ Shrungar pad

શૃંગારનું પદ

શ્રીઠાકોરજીને સ્નાન કરાવ્યા પછી જ્યારે શૃંગાર કરવામાં આવતા હોય ત્યારે આ પદ ગવાય. આ પદને શૃંગાર ઓસરાનું પદ પણ કહેવાય. ઓસરો એટલે અવસર-શૃંગાર કરવાનો સમય. આ પદમાં પ્રભુને કેવા પ્રેમથી શૃંગાર ધરવામાં આવે છે, તેનું નિરૂપણ છે.
(રચનાઃ વિષ્ણુદાસ)
(રાગઃ બિલાવલ)
આઓ ગોપાલ સિંગાર બનાઉં,
વિવિધ સુગંધન કરૌ ઉબટનો પાછે ઉષ્ણ જલ લે જુ ન્હવાઉં. (‍૧)
અંગ અંગોછ ગુહૂં તેરી બેની, ફૂલન રુચિ-રુચિ માલ બનાઉં,
સુરંગ પાગ જરતારી તોરા રત્નખચિત સિરપેચ બંધાઉં. (૨)
વાગો લાલ સુનેરી છાપો હરી ઈજાર ચરનન વિચરાઉં,
પટુકા સરસ બેંજની રંગકોં હંસુલી હાર હમેલ બનાઉં. (૩)
ગજમોતિનકે હાર મનોહર વનમાલા લે ઉર પહિરાઉં,
લે દરપન દેખો મેરે પ્યારે નિરખ-નિરખ ઉર નૈન સિરાઉં. (૪)
મધુમેવા પકવાન મિઠાઈ અપને કર લે તુમ્હેં જિમાઉં,
‘વિષ્ણુદાસ’કો યહી કૃપાફલ બાલલીલા હોં નિસદિન ગાઉં. (૫)

શબ્દાર્થઃ

ઉબટનો = સુગંધી પદાર્થોથી દેહને ઘસીને સ્વચ્છ કરવો.
જરતારી = જરીના તારવાળા.
તોરા, શિરપેચ = પાગ ઉપર ધરાતાં આભુષણો.
બેંજની = જાંબલી
હંસુલી, હમેલ = શ્રીકંઠના આભુષણ.

ભાવાર્થઃ

હે ગોપાલ! તમે પાસે, આવો. હું તમારા શૃંગાર કરું. સૌપ્રથમ વિવિધ સુગંધી પદાર્થો આપના શ્રીઅંગે લગાવી, આપને અભ્યંગ કરાવીશ અને પછી ગરમ જલથી સ્નાન કરાવીશ. (૧)
તમારું શ્રીઅંગ લૂછી, તમારા કેશ ગૂંથીશ અને તેમાં ફૂલોની રચના કરીને, તમારા કેશની વેણી બનાવીશ. તે કેશથી શોભતા મસ્તક ઉપર લાલ રંગનો પાગ બાંધીશ. પાગ ઉપર સોનેરી જરીના તોરા અને રત્નજડિત શિરપેચ ધરાવીશ. (૨)
        આપનાં ચરણોમાં લીલા રંગનું સૂથન અને શ્રીઅંગે લાલ રંગનો સોનેરી છાપાનો વાગો ધરાવીશ, વાગા ઉપર જાંબલી રંગનો સુંદર પટકો બાંધીશ. આપના શ્રીકંઠમાં હાંસ, હમેલ, હાર વગેરે આભુષણો ધરાવીશ. (૩)
        તે ઉપરાંત ગજમોતીના હાર અને સુંદર વનમાળા પણ ધરાવીશ. હે પ્રિય ! આપ આપના સુંદર મુખને દર્પણમાં જોશો ત્યારે તે મુખનાં દર્શન કરી, હું મારા હૃદય અને નેત્રોને શીતલ કરીશ. (૪)
        ત્યારપછી સુંદર મેવા, પકવાન અને મીઠાઈ મારા હાથમાં લઈ તમને આરોગાવીશ. વિષ્ણુદાસજી કહે છે કે, આપની આ સેવા એ આપની કૃપાનું જ ફળ છે. તે સેવા કરતાં હું હંમેશાં રાતદિવસ તમારી બાળલીલા ગાઈશ. (૫)

ફૂલના હિંડોળાનું પદ

ફૂલનકો હિંડોરો ફૂલનકી ડોરી, ફૂલે નંદલાલ ફૂલી નવલકિશોરી;
ફૂલનકે ખંભ દોઉ ડાંડી ફૂલનકી, પટુલી બૈઠે દોઉ એક જોરી (૧)
ફૂલે સઘન વન ફૂલે નવકુંજન, ફૂલી ફૂલી યમુના ચઢત હિલોરી;
ચતુર્ભુજ પ્રભુ ફૂલે નિપટ કાલિંદી કૂલે, ફૂલી ભામિની દેત અકોરી (૨)

ભાવાર્થઃ

યુગલ સ્વરૂપ ફૂલના હિંડોળામાં ઝૂલે છે. સખીઓ ઝૂલાવે છે. હિંડોળો ફૂલોથી સુંદર રીતે સજાવ્યો છે. ઝુલાવવા માટેની દોરી પણ ફૂલોથી ગૂંથી છે.
હિંડોળામાં બિરાજમાન નંદલાલ શ્રીકૃષ્ણ અને નવલ કિશોરી રાધા બંને ફૂલ્યાં સમાતા નથી. પ્રસન્નતાથી ઝૂલી રહ્યાં છે. હિંડોળાના બે ખંભ અને ચાર દાંડી ઉપર ફૂલપાનથી વેલની સુંદર ભાત પાડી છે. વચ્ચે પટુલી ઉપર યુગલ સ્વરૂપ બિરાજે છે અને એકબીજા સાથે ઝૂલવાનો આનંદ લઈ રહ્યાં છે.
વર્ષાઋતુના મનભાવન દિવસો છે. ચોમેર સઘન વન પુષ્પોથી મહેકી રહ્યાં છે. નવીન કુંજોમાં સુગંધિત પુષ્પો ખીલી રહ્યાં છે. પ્રભુને આવા સુંદર, સુગંધયુક્ત વાતાવરણમાં શ્રીયમુનાજીના કિનારે ફૂલહિંડોળામાં સખીઓ ઝૂલાવી રહી છે ત્યારે શ્રીયમુનાજી પણ જાણે પ્રભુનાં દર્શન કરવા માટે આનંદપૂર્વક હિલોળા લઈને ઉપર ચઢી રહ્યાં છે.
યમુનાજીના કિનારે આ હિંડોળાની નજીક ઊભા રહીને દર્શન કરી રહેલ ચતુર્ભુજદાસજી કહે છે કે નંદનંદન શ્રીઠાકોરજી અને ભામિની રાધા બંને જણ આનંદપૂર્વક કિલકારી કરતાં હિંડોળે ઝૂલે છે ત્યારે એ દર્શનનો આનંદ હું પણ લઈ રહ્યો છું.
ચતુર્ભુજદાસજી આ કીર્તનમાં પ્રભુની હિંડોળા લીલાનું વર્ણન કરી આપણને પણ હિંડોળે ઝૂલતાં યુગલ સ્વરૂપનાં દર્શન કરાવી રહ્યા છે. વર્ષાઋતુના આહ​લાદક દિવસોમાં આપણા પ્રભુને આપણે ફૂલોથી સજાવેલા હિંડોળામાં ઝૂલાવીએ અને ઝૂલાવવાનો, કીર્તન ગાવાનો તેમજ દર્શન કરવાનો આનંદ લઈએ.

સંવત્સરોત્સવ ચૈત્ર સુદ-૧

ચૈત્ર માસ સંવત્સર પરિવા, વરસ પ્રવેશ ભયો હૈ આજ ।

કુંજમહલ બૈઠે પિય પ્યારી, લાલન પહરે નૌતન સાજ ।।૧।।

આપુ હી કુસુમહાર ગુહિ લીને, ક્રીડા કરત લાલ મન ભાવત ।

બીરી દેત દાસ ‘પરમાનંદ’ હરખિ નિરખિ જસ ગાવત ।।૨।।

ભાવાર્થઃ

અષ્ટછાપ ભક્તકવિ શ્રીપરમાનંદદાસજીની આ રચના છે.
આજૈ ચૈત્ર માસના પડવાના દિવસે નવા સંવત્સર-વર્ષનો પ્રારંભ થયો છે. આજે નવાં સાજ અને વસ્ત્રો ધારણ કરી, પુષ્પના કુંજમહલમાં શ્રીયુગલસ્વરૂપ-પ્રિયતમ અને પ્રિયાજી બિરાજ્યાં છે. શ્રીયુગલસ્વરૂપ પોતાના શ્રીહસ્તથી પુષ્પમાળાઓ ગૂંથે છે અને પોતાની મનભાવતી રસમય ક્રીડાઓ કરે છે. શ્રીપરમાનંદદાસજી પોતાના આધિદૈવિક સખી સ્વરૂપે શ્રીયુગલસ્વરૂપને પાનની બીડી આરોગાવે છે અને આ લીલાનાં દર્શન કરતાં હરખાઈને તેનાં યશોગાન ગાય છે

શ્રીયમુનાજીનો ઉત્સવ

હમ લઈ શ્યામ શરણ યમુનાકી, તિહારે ચરણ મૈયા લાગો રી ધ્યાન ।

માતા તિહારી સંજ્યા તારન, પિતા તિહારે સૂરજ ભાનુ;

ધર્મરાય-સે બંધુ તિહારે, પતિ તિહારે શ્રીભગવાન ।।૧।।

ઊંચે નીચે પર્વત કહિયેં, પર્વતરાયે પાષાણ ।

સાત સમુદ્ર ભેદ કેં નિકસી, એસી હૈ શ્રીયમુનાજી બલવાન ।।૨।।

બ્રહ્મા જાકો ધ્યાન ધરત હૈ, પંડિત વાંચત વેદ પુરાન ।

જોગી જતિ સતી સંન્યાસી, મગ્ન ભયે તિહારે ગુણગાન ।।૩।।

જૈસે તુરંગ ચલત ધરણી પર, તૈસે ભવરા કરત ગુંજાર ।

‘સૂરશ્યામ’ આધીન તિહારે જય જનની મૈયા કરની કલ્યાન ।।૪।।

ભાવાર્થઃ

‘સૂરશ્યામ’ની છાપનાં પદ શ્રીપ્રભુએ સ્વયં રચ્યાં છે. શ્રીયમુનાજીની વધાઈનું આ પદ ‘સૂરશ્યામ’ની છાપનું છે.
અમે શ્યામસ્વરૂપા શ્રીયમુનાજીનું શરણ ગ્રહણ કર્યું છે. તેથી હે યમુને મૈયા! અમારું ધ્યાન તમારાં ચરણોમાં લાગેલું રહો. તમારાં માતા છે સંજ્ઞાદેવી, તમારા પિતા છે આધિદૈવિક સૂર્યદેવ. તમારા ભાઈ છે ધર્મરાજ શ્રીયમદેવ અને તમારા પતિ છે પ્રભુ પોતે. એવાં શ્રીયમુનાજી પર્વતરાય હિમાલયના પાષાણોમાંથી ઊછળતાં-કૂદતાં, સાત-સાત સમુદ્રોને ભેદીને આપ પૃથ્વી પર પધાર્યાં છો. બ્રહ્માજી પણ તમારું ધ્યાન ધરે છે. વેદ-પુરાણ ભણતા પંડિતો, યોગીઓ, જતિ અને સતી તથા સંન્યાસી સૌ તમારા ગુણગાનમાં મગ્ન છે. જેમ ધરતી પર રેવાલ ચાલે, અશ્વ ચાલે, તેમ આપ પધારી રહ્યાં છો. ભ્રમરો ગુંજારવ કરે છે, એવાં શ્રીયમુનાજી, શ્રીશ્યામસુંદરલાલ પણ આપને આધીન છે. હે શ્રીયમુને મૈયા, આપનો જય થાઓ, આપ સૌનું કલ્યાણ કરો.

પવિત્રા બારસ Pavitra Baaras

પવિત્રા બારસ

pavitra baras

સમર્પણ ધોળ

આજનો દિવસ મારે અતિ મંગલકારીજી

શ્રીવલ્લભરાય બેઠા છે ગોવિંદઘાટજી.

સાથે સેવક શ્રી દામોદરદાસ હરસાનીજી.

ચિત્તમાં  ચિંતા  તણો  નહિ  પારજી.

જીવનો હું પ્રભુસંગ કેમ કરાવીશ અંગીકારજી.

પ્રભુ મધ્યરાત્રિએ પ્રગટ્યા છે મન્મથ સ્વરૂપજી.

આ છે ગદ્યમંત્ર બ્રહ્મસંબંધ દીક્ષા તણોજી

તેના દ્વારા જીવને કરાવો બ્રહ્મનો સંબંધજી.

તે જીવનો અમે કરીશું અંગીકાર

કદી નહિ ત્યજીએ એ સમર્પિત જીવને જી.

પ્રભુની વાણી સાંભળી આનંદ ઉર થાયજી

પવિત્રું ધરી મીસરી ભોગ ધરાવ્યોજી

પ્રથમ બ્રહ્મસંબંધ હરસાનીજીને કરાવ્યું જી.

આજનો દિવસ પુષ્ટિપથનો આરંભકારીજી.

દૈવી જીવના ભાગ્ય તણો નહિ પારજી.

‘સુરપ્યારી’ના વલ્લભને આનંદ ઘણો થાય જી.

શ્રાવણ સુદ બારસ-પવિત્રા બારસ. આજે આપણા પુષ્ટિમાર્ગની વર્ષગાંઠ છે. આજે શ્રીમહાપ્રભુજીએ શ્રીદામોદરદાસ હરસાનીજીને સૌપ્રથમ બ્રહ્મસંબંધ આપ્યું. આજે પુષ્ટિમાર્ગની સ્થાપના થઈ.
શ્રીમહાપ્રભુજીએ આજના શુભ દિને શ્રીદામોદરદાસ હરસાનીજીને આજ્ઞા કરીઃ ‘દમલા, યહ મારગ તેરે લિયે હૈ’.
આ આજ્ઞાનું રહસ્ય આપણે વિચારીએ. શ્રીહરસાનીજી સર્વ પુષ્ટિભક્તોનું મૂળ છે. તેમનો જ અંશ આપણા બધા પુષ્ટિ જીવોમાં છે, તેઓ અંશી છે. આપણે તેમના અંશ છીએ. તેથી આ માર્ગ એટલે પુષ્ટિમાર્ગ શ્રીહરસાનીજીના અંશરૂપ પુષ્ટિજીવો માટે જ છે, બધા માટે નથી.
માર્ગની વ્યાખ્યા છેઃ ‘જેના પર ચાલીને નિશ્ચિત લક્ષ્ય મેળવી શકાય તે.’ પુષ્ટિજીવોનું નિશ્ચિત લક્ષ્ય છે ભગવદ્ સેવા – ભગવદ્ પ્રાપ્તિ. આ સિવાય પુષ્ટિજીવોનું કોઈપણ સમયે, કોઈપણ સ્થળે, કોઈપણ સ્થિતિમાં બીજું કર્તવ્ય નથી.
બ્રહ્મસંબંધ દ્વારા પુષ્ટિજીવના હૃદયમાં રહેલી ભક્તિરૂપી બીજને પાંગરવાનો અવકાશ મળે છે. તે જ ભગવદ્ કૃપા. માર્ગે ચાલવા અને લક્ષ્યસ્થાને પહોંચવા ઝડપી સાધન વધુ ઉત્તમ. ભક્તિરૂપી બીજના વિકાસ માટે પ્રારંભમાં ભગવદ્ સેવા-તનુ વિત્તજા સેવા – સાધન સેવા છે. તે જ ભગવદ્ કૃપાથી ફલરૂપા  બને, ત્યારે લક્ષ્યની પ્રાપ્તિ થાય છે.
આવો અધિકાર પુષ્ટિના માર્ગે ચાલવાનો શ્રીમહાપ્રભુજીએ આપણને – પુષ્ટિજીવોને આપ્યો છે, તેથી આપ આજ્ઞા કરે છેઃ ‘યહ મારગ તેરે લિયે હૈ’.
શ્રીદામોદરદાસજીની આડીથી સર્વ પુષ્ટિજીવોનો આજે નવો જન્મ-આધ્યાત્મિક જન્મ થયો. આજે આપણે “વૈષ્ણવ” બન્યા.
આજે આપણે આપણા પોતાના સાચા સ્વરૂપને જાણ્યું. આપણે આપણા સ્વામી-પ્રભુને જાણ્યા. આપણે પ્રભુને સર્વ સમપર્ણ કર્યું. આપણે તેમના દાસ બન્યા. આપણને તેમની સેવાનો અધિકાર મળ્યો.
આજે આપણે શ્રીમહાપ્રભુજીને આપણા ગુરુપદે પધરાવ્યા. આપણે તેમના સેવક બન્યા. તેમણે બતાવેલા માર્ગે – પુષ્ટિમાર્ગે – ચાલવા આપણે પ્રતિજ્ઞા કરી.
હવે આપણે સંસારમાર્ગના ભટકતા, બેજવાબદાર મુસાફર નથી.  આપણે પુષ્ટિપંથના કર્તવ્યનિષ્ઠ, વ્રતધારી યાત્રિક છીએ. ભગવદ્-સેવા-સ્મરણ આપણાં એકમાત્ર કર્તવ્ય છે. વિસરાયેલાં કર્તવ્યોનું આચરણ કરવા આપણે આજથી જ કટિબદ્ધ બનીએ. હજી આપણે મોડા નથી.
“ન ભૂલે તમે છો કૃપામાર્ગ પંથી, કૃપાપાત્ર થવા કરો પ્રેમભક્તિ.”
ચાલો, આપણે સૌ ભય છોડીને, પુષ્ટિના આ રાજમાર્ગે ચાલવાનો આરંભ કરી જ દઈએ. ‘યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે’.
વર્ષગાંઠના શુભ દિને આપણા ગુરુદેવ શ્રીમહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત.
તમને સૌને વર્ષગાંઠની શુભકામનાઓ.